કડી તાલુકાના કમળાપુરા ગામની વતની અને હાલ લક્ષ્મીનારાયણ સોસાયટી ખાતે નિવાસ કરતા સ્વ. સવિતાબેન નારાયણભાઈ પટેલનું તા. 18-05-2026, સોમવારના રોજ 85 વર્ષની વયે દુઃખદ અવસાન થયું હતું. તેમના અવસાન બાદ તેમની લાડકી પૌત્રી સોનિયાબેને દાદીના ચક્ષુદાનનો પ્રેરણાદાયી નિર્ણય લઈ માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
સોનિયાબેનના આ સેવાભાવી કાર્યથી બે જરૂરિયાતમંદ વ્યક્તિઓને નવી દ્રષ્ટિ પ્રાપ્ત થવાની આશા જાગી છે. પરિવાર દ્વારા લેવામાં આવેલ આ માનવતાભર્યા નિર્ણયની સમાજમાં પ્રશંસા થઈ રહી છે.
આ ચક્ષુદાન પ્રક્રિયા Lions Clubs International અંતર્ગત Lions Club of Kadi અને Alpha Foundation ના સંયુક્ત ઉપક્રમે પૂર્ણ કરવામાં આવી હતી. પ્રસંગે ડૉ. આનંદ પટેલ, લાયન પ્રમુખ શ્રી ગોપાલ નાયક તથા મયંક પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
દાનમાં પ્રાપ્ત થયેલ ચક્ષુઓને વધુ પ્રક્રિયા માટે Indian Red Cross Society અમદાવાદ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા.
સમાજમાં ચક્ષુદાન અંગે જાગૃતિ ફેલાય અને વધુ લોકો આ મહાદાન માટે પ્રેરાય તેવો આ પ્રસંગ એક ઉત્તમ સંદેશ આપતો બની રહ્યો છે.









